ગાંધીનગર, ઉત્તરાખંડમાં સર્જાયેલી કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના યાત્રીકોને મદદ અને સારવાર મળે તે અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી. તેમજ આ અંગે રાજ્યના મુખ્ય સચિવને પણ ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્ક કરી ઝડપી કાર્યવાહી કરવા અંગેની સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિ વાતચીત કરીને ઉત્તરાખંડના ચમોલી તપોવન ખાતે સર્જાયેલી કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ અને બચાવ રાહત તેમજ ઇજાગ્રસ્તોને સારવારનો પ્રબંધ કરવાની વ્યવસ્થા માટે સહાયરૂપ થવા માટેની વિનંતી કરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમને ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્ક કરી ઝડપથી કાર્યવાહી હાથ ધરવા માટેની સૂચનાઓ આપી છે.