દિલ્હી-

ભારતમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર ભારતના 35 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 49,931 નવા કેસ સામે આવ્યા છે 708 લોકોના મોત થયા છે.

ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 14,35,453 પર પહોચી છે. જેમાં 4,85,114 કેસ એક્ટિવ છે.9,17,568 કોરોના સંક્રમિત લોકોને સારવાર બાદ સ્વસ્થ થયા છે. જ્યારે 32,771 લોકોના મોત થયા છે.સ્વાસ્થય મંત્રાલય અનુસાર કોરોનાથી સ્વસ્થ થયાનો દર 63.92 ટકા છે.આપને જણાવી દઈએ કે, કોરોનાનો આંકડો સતત બદલતો રહે છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય રાજ્યોમાંથી આવેલા આંકડા બાદ અંતિમ આંકડો જાહેર કરે છે.