અમદાવાદ-
એક બાજુ રાજ્ય સરકારે અમદાવાદમાં કર્ફ્યુ જાહેર કર્યું છે, ત્યારે શનિવારના રોજ કેન્દ્રની ટીમ ગુજરાત આવીને કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરશે. ત્યારે આ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતીન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રની ટીમ શુક્રવારે રાત્રે અમદાવાદ ખાતે આવી જશે, ત્યારબાદ તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ જઈને જે તે અધિકારીઓ સાથે બેઠક કરીને ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ મુદ્દે સમીક્ષા કરશે. અમદાવાદમાં રાત્રીના 9 વાગ્યાથી સોમવાર સવારે 6 કલાક સુધી કરફ્યુ જાહેર કર્યો છે, ત્યારે શનિવારે સરકાર રાબેતા મુજબ ચાલુ છે. પરંતુ અમદાવાદ થી ગાંધીનગર આવતા તમામ સરકારી કર્મચારીઓની રજા જાહેર કરવામાં આવી છે. આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જીએડીને સૂચના આપી દીધી છે.
દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાનું પ્રમાણ વધતાં રાજ્ય સરકારે અમદાવાદમાં 58 કલાકનો કરફ્યું જાહેર કર્યો છે. ત્યારે શુક્રવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી હાઈ પાવર કમિટીની બેઠકમાં અમદાવાદ શહેર સાથે સુરત, રાજકોટ અને વડોદરામાં પણ શનિવારે રાત્રિના 9 કલાકથી સવારના 6 કલાક સુધી કર્ફ્યુ લાદવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments