સુરત-

અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ મંદિરનું ભૂમિ પૂજન થઇ રહ્યું છે એનો આનંદ અને ઉત્સાહ સુરતમાં પણ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક પળની ઉજવણી સુરતમાં વરાછાનાં માનગઢ ચોક ખાતે કરવામાં આવી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન શ્રી રામની પૂજા-અર્ચના કરાઇ હતી.

આ તકે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આજે દેશનાં લોકોની ઇચ્છા આજે પૂર્ણ થઇ રહી છે. જેમણે પણ શ્રી રામ મંદિરનાં નિર્માણ માટે સહકાર્ય કર્યું, જે રામ-સેવકોએ કાર સેવા કરી, જેમણે પણ શહીદી વ્હોરી છે એ સૌનું સ્મરણ તેમણે કર્યું હતું અને કહ્યું હતું કે આજે આખા દેશનું સપનું પૂરું થયું છે.