મહાશિવરાત્રિ પર્વે પાછલાં અનેક વર્ષોની પરંપરા મુજબ શિવ પરિવાર સાથે શિવજી કી સવારી નીકળી હતી. નિર્ધારીત માર્ગ પર શિવ પરિવાર નગરચર્યાએ નિકળતાં હજારો ભક્તો બમ્‌..બમ્‌.. ભોલેના નાદ સાથે શિવજી કી સવારીમાં જાેડાયા હતા. જ્યારે સાંજે સુરસાગર તળાવ સ્થિત સર્વેશ્વેર મહાદેવજીની પરંપરાગત રીતે યોજાયેલી મહાઆરતીમાં રાજકીય અગ્રણીઓ, ઉચ્ચ અધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.