ભરૂચ-

શહેર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. દિવાળીના તહેવારોની શરૂઆત સાથે જ લોકોએ વતનની વાટ પકડતા વાહનોનું ભારણ વધ્યું છે અને માર્ગના સમારકામની કામગીરીને કારણે હાઈવે પર 4 KM સુધી વાહનોની કતાર જોવા મળી હતી. હાઈવે પર ગત 2 દિવસથી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ગુરૂવારે પણ ભરૂચના સરદાર બ્રીજ પર ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો અટવાયા હતા. જોકે હવે તહેવારની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ હાઈવે વધુ વ્યસ્ત બન્યો છે. જેને કારણે કિલોમાટર સુધીની લાંબી લાઈનોની કત્તાર સર્જાતા કલાકો સુધી વાહન ચાલકો આટવાયા હતા.