બાડમેર-

કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન કૈલાશ ચૌધરી છેલ્લા 1 અઠવાડિયાથી તેમના લોકસભા મત વિસ્તાર બાડમેર જેસલમેરની મુલાકાતે છે, આ સમયગાળા દરમિયાન કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન કૈલાશ ચૌધરી બલોત્રામાં તેમના નિવાસ સ્થાન સાથે અનેક જાહેર કાર્યક્રમોમાં ભાગ લેતા હતા અને તે પછી ચૌધરી જેસલમેર પ્રવાસ પર ગયા હતા. જ્યાં તેમણે અનેક ગામોમાં લોકો સાથે મુલાકાત કરી હતી.

વિશ્વભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. હવે નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. મોદી સરકારના અન્ય પ્રધાન કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન કૈલાસ ચૌધરીને 8 ઓગસ્ટના રોજ લક્ષણો દેખતા જોધપુરના સર્કિટ હાઉસ ખાતે કોવિડ -19નો ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જોધપુરની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.