સુરત-

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શિષ્યવૃતિના ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં શિષ્યવૃતિના ફોર્મ ભરવાની તારીખ 25 માર્ચે પૂર્ણ થઈ ગઇ હતી. પરંતુ ત્યારબાદ જે વિદ્યાર્થીઓ કોરોના મહામારીને કારણે શિષ્યવૃતિના ફોર્મ ભરી શક્યા ન હતા, તે વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં રજૂઆત કર્યા બાદ, યુનિવર્સિટીએ શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાની તારીખ લંબાવી છે. 25 એપ્રિલ સુધી શિષ્યવૃતિનું ફોર્મ ભરી શકાશે.

હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં શિષ્યવૃતિના ફોર્મ ભરવાના તારીખની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ ST/SC/OBCના ઘણા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાનું ચૂકી ગયા હતા. જોકે ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કર્યા બાદ યુનિવર્સિટી દ્વારા શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. જોકે 25 એપ્રિલ સુધી શિષ્યવૃતિના ફોર્મ ભરી શકાશે. જેથી ST/SC/OBCના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત ન રહી જાય તે માટે વિદ્યાર્થીઓના હિત માટે યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.