ગાંધીનગર-
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે શુક્રવારે ફેસબુક પર લાઈવ થયા હતા. જ્યારે તેઓ લાઈવ થયા ત્યારે લોકોને લાગ્યું કે તેઓ વીકેન્ડ કરફ્યૂની જાહેરાત કરી શકે છે. મુખ્યમંત્રી મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફનો ઉત્સાહ વધાર્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફેસબુક લાઈવમાં કહ્યું હતું કે, આપણે કોરોનાને હરાવવા માટે નજીક છીએ પરંતું અત્યારની સ્થિતિને જોતા ક્યાંય પાછા જતા રહ્યા છીએ. રાજ્યમાં કોરોનાના કેસ, મૃત્યુદર સતત વધી રહ્યો છે અને કોરોના બેકાબૂ બની રહ્યો છે. આ પરિસ્થિતિમાં લોકોએ માસ્ક પહેરવું, સોશિયલ ડીસ્ટન્સ જાળવવું ખુબ જરૂરી છે તેમજ કેટલાક સરકારી નિર્ણય, હોસ્પિટલોની પૂરતી વ્યવસ્થા પણ જરૂરી છે.
વિજય રૂપાણીએ કહ્યું કે, આપણે તો કોરોના સામે લડાઈ લગભગ જીતી ગયા હતા, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં કેસ વધી રહ્યા છે. ત્યારે વેક્સિન જ હથિયાર છે. આ ઉપરાંત બીજી આશા આપણા ડોક્ટર છે. કોરોના જરૂરથી હારશે અને ગુજરાત જીતશે. પરંતુ તેની વિપરીત પરિસ્થિતિ જોઈએ તો ડોક્ટરોને પણ લેખિતમાં સરકારને જાણ કરવી પડી રહી છે કે, ઓક્સિજન ખુટી રહ્યા છે, ઓક્સિજનના અભાવે હોસ્પિટલોમાં લોકો દમ તોડી રહ્યા છે. કેટલાક ડૉકટરો જીવ બચાવવા બ્લેકમાં ઓક્સિજન ખરીદી રહ્યા છે. જેથી કેટલીક જરૂરિયાતો સરકારે પૂરી કરવી જ રહી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments