દિલ્હી-

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં દરરોજ કોરોનાના નવા કેસ 3થી 4 લાખની વચ્ચે આવી રહ્યા છે. આ અંગે વિદેશ પ્રધાન એસ. જયશંકરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીથી વિશ્વ ત્રસ્ત છે. આ વખતે ભારતમાં કોરોનાની અસર ખૂબ જ વધારે જોવા મળી રહી છે. કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં ભારતે અનેક દેશને મદદ કરી છે. ભારતે અમેરિકા, સિંગાપોર, યુરોપીય દેશોને દવાઓ પણ પહોંચાડી હતી. આ સાથે જ કેટલાક દેશોને વેક્સિન પણ આપી હતી. જોકે, જેને તમે સહાયતા કહો છો તેને અમે મિત્રતા કહીએ છીએ. ડો. એસ. જયશંકરે કહ્યું હતું કે, મને લાગે છે કે, આ રીતે સહાયતા એ તર્ક પોઈન્ટ સ્કોરિંગનો પ્રકાર છે. મને લાગે છે કે, લોકો સમસ્યાથી વૈચારિક રૂપથી નથી જોડાઈ રહ્યા. મેં દિલ્હીની સ્થિતિને જોઈ છે. અમે લોકોની મદદ કરવા માટે બધુ કરીશું.