દુબઇ 

ભારતમાં 2023માં યોજનારી વન ડે વિશ્વ કપની ક્વોલીફાયર્સની મેજબાની ઝિમ્બાબ્વેને સોંપવામાં આવી છે.જે 18 જૂનથી 9 જુલાઈ 2023 દરમિયાન મેચોનું આયોજન કરશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઇસીસીએ કોવિડ -19 રોગચાળાને લીધે એક નવો કાર્યક્રમ જાહેર કર્યો છે.

હોસ્ટ ઈન્ડિયા અને અન્ય સાત ટોચની સુપર લીગ ટીમો ઓક્ટોબર-નવેમ્બર 2023 માં યોજાનારી ટૂર્નામેન્ટ માટે સીધી ક્વોલિફાય થશે. સુપર લીગની બાકીની પાંચ ટીમો 2023 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રમશે. તે લીગ -2 ની ત્રણ શ્રેષ્ઠ ટીમો પણ રમશે. આઇસીસીએ વર્લ્ડ લીગ -2 અને ચેલેન્જ લીગના શેડ્યૂલની પણ જાહેરાત કરી હતી.

આઇસીસીના હેડ ઓફ કોમ્પિટિશન ક્રિસ ટેટલીએ કહ્યું, "જ્યારે અમે ઓક્ટોબર-નવેમ્બર 2023માં આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 યોજવાનું નક્કી કર્યું, ત્યારે તેણે અમને ક્વોલીફિકેશન સ્પર્ધા યોજવાનો સમય પણ આપ્યો. આથી અમે ટૂર્નામેન્ટમાં રમનારી ટીમ સુનિશ્ચિત કરવા માટે મોકાનો વધુને વધુ ઉપયોગ કરી શકીશું.અમે 96 વનડે અને 60 લિસ્ટ-એ મેચમાં ફરીથી કાર્યક્રમ તૈયાર કરવા માટે અમારા સદસ્યો અને હિતધારકોની સાથે મળીને કામ કર્યુ છે.