રાજકોટ

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા સ્પેશિયલ ઓબ્ઝર્વેશન હોમના ૧૯ જેટલા બાળકો કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે તમામ બાળકોને સરકારી કવોરનટાઇન સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. તો અન્ય બાળકોને સંસ્થા ખાતે જ ક્વોરનટાઇન કરવામાં આવ્યા છે.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ એન ગોસ્વામી વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કુલ ૪૩ જેટલા બાળકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૧૯ બાળકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું જાેકે જે પણ ૧૯ બાળકો કોરોના સંક્રમિત થયા છે તે તમામ એસિમટોમેટીક હોવાનું સામે આવ્યું છે.