વડોદરા શહેરના બરાનપૂરા અખાડાના અંજુ માસીબાની આગેવાની હેઠળ આ સમાજના ૨૦૦ ઉપરાંત મતદારોએ આજે મતદાન કરી લોકશાહીના આ પર્વને દીપાવ્યું હતું.અંજુ માસીબાએ શહેર જિલ્લાના મતદારોને હકથી અને વટ થી મતદાન કરવાનું જણાવી ખાસ ગૃહિણીઓને બધા કામ પડતા મૂકી મતદાન કરવા અનુરોધ કર્યો હતો.