વડોદરા

સેકન્ડ વેવ પીક પર પહોંચ્યા બાદ હવે કોરોનાનું જાેર ઘટી રહ્યુ છે. જેના પગલે તંત્રએ રાહત અનુભવી છે. જાેકે,વિતેલા ૨૪ કલાકમાં કોરોના અને શંકાસ્પદ કોરોનાના કારણે ૯૧ મોત નિપજાયા હતા. જાેકે, તંત્રના જણાવ્યા મુજબ વિતેલા ર૪ કલાકમાં વધુ ૭ મોત સાથે અત્યાર સુધી સત્તાવાર મૃત્યુઆંક ૫૫૧ થયો છે. આજે કોરોનાના વધુ ૮૭૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જાેકે, પોઝિટિવ કેસો કરતા આજે વધુ દર્દીઓ એટલે ૮૯૧,દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.

છેલ્લા બે મહિનાથી કોરોનાની સેકન્ડ વેવમાં હાહાકાર મચ્યો છે જાે કે, પોઝિટિવ કેસોની સંખ્યામાં ધટાડો થતા તંત્રએ રાહત અનુભવી હતી. વિતેલા ર૪ કલાકમાં કોરોના તેમજ શંકાસ્પદ કોરોનાની સારવાર લઈ રહેલા લોકોનાં ૯૧ મોત થયાં છે.જાે કે, તંત્ર દ્વારા વધુ ૭ મોત સાથે અત્યાર સુધી વડોદરા શહેર જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૫૫૧ થયો હોવાનું જણાવ્યું હતું. વડોદરા શહેર જિલ્લામાં વિતેલા ર૪ કલાકમાં કોરોનાના ટેસ્ટ માટે લેવામાં આવેલા ૧૦,૩૬૯ સેમ્પલો પૈકી ૮૭૧ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ૯૪૯૮ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે આજે એક્ટિવ કેસોની સંખ્યા ગઈકાલની સરખામણીમાં ધટીને ૯,૮૦૪થઈ છે. જે પૈકી ૪૫૭ ઓક્સિજન સપોર્ટ પર અને ૨૯૫ દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે, જ્યારે ૯૦૫૨ દર્દીઓ સ્ટેબલ છે.

શહેર જિલ્લામાં આજે વધુ ૮૯૧ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં ૫૧,૩૭૮ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ધન્વંતરિ આરોગ્ય રથના માધ્યમથી પાલિકાના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કરાઈ રહેલા આરોગ્ય સર્વેમાં આજે ૩૬ તાવના અને ૧૯૧ શરદી, ખાંસીના દર્દીઓ જણાઈ આવતાં સ્થળ પર જરૂરી દવાઓ આપવામાં આી હતી. આમ બે દિવસથી પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થતાં કોરોનાનું જાેર ઘટી રહ્યાનું મનાઈ રહ્યું છે. સેકન્ડ વેવમાં પીક પર પહોંચેલા કોરોનાના કહેર વચ્ચે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ૧૧,૦૦૦ ઉપર પહોંચી હતી, સાથે ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા પણ વધી હતી.

રેમડેસિવિર ઈન્જેકશનોની ફાળવણીની માગ ઘટી - ફાળવણી અપૂરતી

શહેરમાં હજુ પણ કોરોનાની સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓને આપવામાં આવતા રેમડેસિવિર ઈન્જેકશનોની હજુ પણ અછત વર્તાય છે. કાળાબજારીને કારણે સરકાર દ્વારા ઈન્જેકશનના વેચાણ અને વિતરણ હાથમાં લેવાયું હોવા છતાં હજુ પણ માગ અને પુરવઠામાં ભારે અંતર રહે છે. જીપીસીબીના ઉચ્ચ અધિકારી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ આજે સોમવારે ૨૦૪ હોસ્પિટલોને ૧૧૦૦ ડોઝ રેમડેસિવિરના ઈન્જેકશનો અપાયા હતા. રેમડેસિવિરની ફાળવણીના નોડલ અધિકારી આર.બી.ત્રિવેદીના જણાવ્યા મુજબ શહેર-જિલ્લાની ૨૦૪ હોસ્પિટલ દ્વારા ૩૯૬૫ પેશન્ટ માટે ૧૫,૫૯૪ રેમડેસિવિરની માગ કરવામાં આવી હતી. જેમને કુલ ૧૧૦૦ ઈન્જેકશન ફાળવી આપ્યા હતા. જાે કે, યાદી મુજબ હજુ પણ ઈન્જેકશનનો મોટો જથ્થો મોટી કોર્પોરેટ હોસ્પિટલોને વધુ જતો હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે રેમડેસિવિર ઈન્જેકશન સામાન્ય માનવીની પહોંચથી દૂર રહે છે. અત્યાર સુધીમાં કુલ ૫૯,૩૪૧ ઈન્જેકશનો હોસ્પિટલોને અપાયા છે.