દિલ્હી-

સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગના છઠ્ઠા માળે અચાનક આગ લાગી હતી. આ ઘટનાની માહિતી મળતાં 7 ફાયરબ્રિગેડની ટીમે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના સમયે ત્યાં કોઇ હાજર હતું નહીં.

ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે સાડા સાત વાગ્યે સંસદની એનેક્સ બિલ્ડિંગમાં આગ લાગવાનો ફોન આવ્યો હતો. આ ઘટનાની જાણકારી મળતાં ફાયરની 7 ગાડીઓને સ્થળ ઉપર મોકલી દેવામાં આવી હતી. જેણે તાત્કાલિક આગને કાબૂમાં લીધી હતી.

સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગના છઠ્ઠા માળે અચાનક આગ લાગી હતી. આ આગમાં 7 ફાયરબ્રિગેડની ટીમે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.