વડોદરા, તા.૨૬
શહેર નજીક આવેલ કેલનપુર ગામના તળાવમાં ત્રણ મહાકાય મગર આવી જતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગેની જાણ કરાતાં વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના કાર્યકરો, વન વિભાગની ટીમ સાંજે પહોંચી જઈને પાંજરું ગોઠવ્યું હતું, જ્યાં આજે સવારે ૮.પ ફૂટનો મગર પાંજરે પુરાતાં વડોદરા વન વિભાગની કચેરીએ લાવવામાં આવ્યો હતો. જ્યારે બીજા બે મગર પકડવા માટે ફરી પાંજરું મૂકવામાં આવ્યું હતું.
વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના અરવિંદ પવારને ગુરુવારે કેલનપુરના સરપંચનો ફોન આવ્યો હતો કે, ગામના ખેતર પાસેના તળાવમાં ત્રણ મોટા મગરો આવી ગયા છે અને તળાવમાંથી નીકળીને ઘરના વાડામાં અને ખેતરોમાં આવી જાય છે, જેથી ખેતરમાં પણ જઈ શકતા નથી. આ અંગેનો ફોન આવતાં જ વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના યુવરાજસિંહ અને વન વિભાગના શૈલેષ રાવલ સ્થળ પર પહોંચી ગયા હતા અને પાંજરું ગોઠવ્યું હતું.
આજે સવારે ૮.પ ફૂટનો મહાકાય મગર પાંજરે પુરાતાં મગરને રેસ્કયૂ કરીને વન વિભાગની કચેરીએ લાવવામાં આવ્યો હતો. જ્યારે બીજા બે મગર પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ મહાકાય મગર પાંજરે પુરાતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments