ભરૂચ, તા.૩, જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ સ્વ. એડવોકેટ જશુભાઇ જાદવની હત્યામાં મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના તેમજ હત્યાના કેસમાં તટસ્થ ન્યાયીક તપાસ થાય અને ગુન્હેગારોને સખ્ત સજા કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત ડૉ. બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે કેન્ડલ માર્ચનું શાંતિપૂર્વક દેખાવ કરવા માટે કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને શહેરના સ્થાનિક લોકો કે જેમને નિર્દોષ જશુભાઇને ન્યાય અપાવવાની લાગણી હોય એવા સામાજીક આગેવાનો અને કાર્યકર્તાઓએ હાજર રહી સહયોગ આપ્યો હતો.ચાર જેટલા આરોપીઓને પોલીસ દશ દિવસ સુધી પકડી શકી ન હતી જ્યારે એડવોકેટ જશુભાઈ જાદવનું મોત નિપજતા પરિવારજનો અને સામાજિક કાર્યકરોએ રજૂઆત કરી હતી.