અમદાવાદ-

અમદાવાદ શહેર બાદ અમદાવાદ જિલ્લાના ગોધાવી ગામમાં એકસાથે ૨૯ પોઝિટિવ કેસો આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અને ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. એકસાથે ૨૯ કેસો સામે આવતાં તંત્ર દ્વારા સમગ્ર ગોધવી ગામને જ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અને ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

અમદાવાદના ગોધાવી ગામમાં એકસાથે ૨૯ કેસો સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અને આ ગામને માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાયું હતું. સુરતમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું છે. અને કોરોનાનાં અજગરી ભરડાએ અનેક લોકોનાં જીવ લીધા છે.