ગાંધીનગર-

દર વર્ષે ભાદરવી પૂનમના દિવસે અંબાજી ખાતે સૌથી મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે પણ કોરોનાને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે મેળાની કોઈપણ જાતની પરવાનગી આપી નથી. ત્યારે રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કોરોનાને ધ્યાનમાં લઇને આ વર્ષે ભાદરવીનો મેળો રદ્દ કરવામાં આવ્યો છે, પરંતુ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર દર્શન માટે સવારના 6 વાગ્યાથી રાત્રિના 1.30 કલાક સુધી ખુલ્લુ રહેશે. પુર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 51 શક્તિપીઠ પૈકી એક ધાર્મિક શક્તિપીઠ અંબાજીમાં ભાવિક ભક્તોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું છે. ભક્તો સવારના 6 વાગ્યાથી રાત્રિના 1:30 વાગ્યા સુધી દર્શન કરી શકશે, પરંતુ સવારે 11થી 12 અને સાંજે 5થી 7 મંદિર બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત કોરોનાના નિયમ અનુસાર જ મંદિરમાં દર્શન કરવામાં આવશે. અંબાજી મંદિર અને અંબાજીમાં સુરક્ષા માટે તૈનાત કરાયેલા પોલીસ કર્મચારીઓ પર બોડી કેમેરા મુકવામાં આવ્યા છે જેથી સાઉન્ડ અને વિડિયો રેકોર્ડિંગ સિસ્ટમ થી કરી શકાય આમ સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસે બોડી કેમેરાનો ઉપયોગ પણ કર્યો છે જેનો સીધો સતત મોનિટરિંગ ગાંધીનગર અને જે તે જિલ્લા કચેરી ખાતે પણ થઈ રહ્યું છે આમ ભાદરવી પૂનમમાં કોઈપણ અચૂકથી ઘટના ન બને તે માટે પણ ખુલી પોલીસ કર્મચારીઓ અને સજ્જ કરી દેવામાં આવ્યા છે.