કોરોના વાયરસ મહામારીના આ ઘડીમાં મોટાભાગના લોકો પોતાના શરીરની ઇમ્યૂનિટી વધારવાનો દરેક પ્રયત્ન કરી રહ્યા છે. આને તેના લીધે હાલ તમે મોટાભાગના લોકોને મલ્ટી-વિટામિન ખાતા જોતા હશો.

કોરોના વાયરસ મહામારીના આ ઘડીમાં મોટાભાગના લોકો પોતાના શરીરની ઇમ્યૂનિટી વધારવાનો દરેક પ્રયત્ન કરી રહ્યા છે. આને તેના લીધે હાલ તમે મોટાભાગના લોકોને મલ્ટી-વિટામિન ખાતા જોતા હશો. પરંતુ તમને ખબર છે કે તેના લીધે તમારા શરીરમાં ભારે નુકસાન પણ થઇ રહ્યું છે? જી હાં આ સાચું છે કે ડોક્ટરની સલાહ વિના મલ્ટી-વિટામીન્સનું સેવન ન કરવું જોઇએ. કોરોના વાયરસથી બચવા માટે લોકો હાલ મલ્ટી-વિટામીનનું ખૂબ સેવન કરી રહ્યા છે. પરંતુ ઘણા એવા વિટામિન છે જેનું સેવન કરવું ખતરનાક પરિણામ આપી શકે છે. જોકે વિટામિન ડીનું વધુ માત્રામાં સેવન અક્રવાની શરીરમાં લકવાનો ખતરો પેદા થઇ શકે છે. આમ તો કોઇપણ દવાના સેવન પહેલાં ડોક્ટરોની સલાહ લેવી સૌથી સમજદારીભર્યું પગલું છે.  

એપોલો હોસ્પિટલમાં ઇન્ટરનલ મેડિસીન વિભાગના સીનિયર કંસલટેન્ટ ડો. તરૂણ સાહનીનું કહેવું છે કે મલ્ટી વિટામીનના કોમ્બોવાળી દવાઓનું સેવન કરવું યોગ્ય છે. જોકે તમે વિટામીનનું અલગ-અલગ સેવન કરી રહ્યા છો તો માત્રા પણ લગાવવી મુશ્કેલ હોય છે. એવામાં સારી કંપનીઓના મલ્ટી વિટામીન કોમ્બો ડોક્ટરી સલાહ સાથે ફાયદાકારક હોય શકે છે.