કોરોના વાયરસ મહામારીના આ ઘડીમાં મોટાભાગના લોકો પોતાના શરીરની ઇમ્યૂનિટી વધારવાનો દરેક પ્રયત્ન કરી રહ્યા છે. આને તેના લીધે હાલ તમે મોટાભાગના લોકોને મલ્ટી-વિટામિન ખાતા જોતા હશો.
કોરોના વાયરસ મહામારીના આ ઘડીમાં મોટાભાગના લોકો પોતાના શરીરની ઇમ્યૂનિટી વધારવાનો દરેક પ્રયત્ન કરી રહ્યા છે. આને તેના લીધે હાલ તમે મોટાભાગના લોકોને મલ્ટી-વિટામિન ખાતા જોતા હશો. પરંતુ તમને ખબર છે કે તેના લીધે તમારા શરીરમાં ભારે નુકસાન પણ થઇ રહ્યું છે? જી હાં આ સાચું છે કે ડોક્ટરની સલાહ વિના મલ્ટી-વિટામીન્સનું સેવન ન કરવું જોઇએ. કોરોના વાયરસથી બચવા માટે લોકો હાલ મલ્ટી-વિટામીનનું ખૂબ સેવન કરી રહ્યા છે. પરંતુ ઘણા એવા વિટામિન છે જેનું સેવન કરવું ખતરનાક પરિણામ આપી શકે છે. જોકે વિટામિન ડીનું વધુ માત્રામાં સેવન અક્રવાની શરીરમાં લકવાનો ખતરો પેદા થઇ શકે છે. આમ તો કોઇપણ દવાના સેવન પહેલાં ડોક્ટરોની સલાહ લેવી સૌથી સમજદારીભર્યું પગલું છે.
એપોલો હોસ્પિટલમાં ઇન્ટરનલ મેડિસીન વિભાગના સીનિયર કંસલટેન્ટ ડો. તરૂણ સાહનીનું કહેવું છે કે મલ્ટી વિટામીનના કોમ્બોવાળી દવાઓનું સેવન કરવું યોગ્ય છે. જોકે તમે વિટામીનનું અલગ-અલગ સેવન કરી રહ્યા છો તો માત્રા પણ લગાવવી મુશ્કેલ હોય છે. એવામાં સારી કંપનીઓના મલ્ટી વિટામીન કોમ્બો ડોક્ટરી સલાહ સાથે ફાયદાકારક હોય શકે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments