ઓકિસજન વિના તરફડીને હજારો મોત થયાં, ઈન્જેકશનો માટે લોકોની કાકલુદી-કાલાવાલા સરકારના બહેરા કાને અથડાઈને પાછા વળ્યા. આરોગ્યક્ષેત્રે કોરોના દરમિયાન માત્રને માત્ર સરકારની અણઆવડતને કારણે અંધાધુંધી, ભય અને માતમનો માહોલ છવાયો. છતાં ગુજરાત સરકાર એની સફળતાના ગુણગાન ગાવા કરી રહેલી ઉજવણીનો આજે કોંગ્રેસે જડબાતોડ વિરોધ કર્યો હતો.