અમૃતસર-

પંજાબ નગરનિગમની ચૂંટણીઓમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ચૂંટણીના પરિણામો જે રીતે આવતા જતા હતા તેની સ્થિતી જોતાં કોંગ્રેસે કેટલાંક વિસ્તારોમાં લીડ મેળવી છે કે પછી જીત મેળવી છે.

કુરાલીમાં કોંગ્રેસે 9 બેઠકો જીતી હતી જ્યારે અપક્ષને પાંચ અને શિરોમણિ અકાલીદળને બે બેઠકો મળી હતી. નવનશહરમાં કોંગ્રેસ 11 વોર્ડ્સમાં જીતી હતી. બંગાના પાંચ વોર્ડમાં કોંગ્રેસને જીત મળી હતી જ્યારે એસએડીને ત્રણ તેમજ ભાજપને એક બેઠક મળી હતી જ્યારે તાપા ખાતે કોંગ્રેસને અને અપક્ષોને છ-છ વોર્ડમાં જીત મળી હતી, જ્યારે ત્રણ વોર્ડમાં એસએડીનો વિજય થયો હતો. 

પંજાબમાં નગરપાલિકાની 109 જેટલા વોર્ડની ચૂંટણીઓની મતગણતરી ચાલી રહી છે અને સાથે જ બૂથ નંબર 32 અને 33 પર પુનર્મતદાન પણ ચાલી રહ્યું છે. વધુ માહિતી માટે જોતા રહો.