અમદાવાદ-
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર પટેલ, માજી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોએ જેનું કુલનાયકપદ શોભાવેલ છે તે ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક તરીકે ડો. રાજેન્દ્ર ખીમાણીની નિયુક્તિ કરી દેવામાં આવી છે. ખીમાણી તા.1 જાન્યુ.ના આ નવા હોદાનો ચાર્જ સંભાળનાર છે.
ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયકની પસંદગી માટે સર્ચ કમીટી દ્વારા રજૂ કરવામાં આવેલ ત્રણ નામ પૈકીના ડો. રાજેન્દ્ર ખીમાણીના નામ પર ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીમંડળ દ્વારા મંજુરીની મહોર મારી દેવામાં આવી છે. ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન કુલનાયક રાજકોટના ડો. અનામિક શાહની ટર્મ આગામી તા.31 ડીસેમ્બરના પૂર્ણ થઈ રહી છે. શાહને કુલનાયક પદ માટે બે ટર્મ મળી હતી અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ડો.ખીમાણી ગુજરાત વિદ્યાપીઠના રજીસ્ટ્રાર તરીકે છેલ્લા 15 વર્ષથી કાર્યરત રહ્યા છે તેમની સામે કેટલાક પ્રશ્નોને લઈ ફરિયાદો ઉઠતી રહી છે. ખીમાણીની હવે વિદ્યાપીઠના નવ કુલનાયક તરીકે પસંદગી કરાતા તેઓ આગામી તા.1થી આ નવા હોદાનો કાર્યભાર સંભાળનાર છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments