તિરુવનંતપુરમ-

કેરળમાં મલબાર એક્સપ્રેસની લગેજ વાનમાં રવિવારે સવારે તિરુવનંતપુરમ જિલ્લાના વરકલા પાસે આગ લાગી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પ્રાપ્ત માહિતી અનુસાર પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવામાં આવી છે. ટ્રેનમાં સવાર મુસાફરોએ સુરક્ષા કર્મચારીઓને આગની જાણ કરી હતી.

અધિકારીઓએ કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કોઈ ઈજા કે જાનહાનિ નોંધાઈ નથી. આગ જોતા ટ્રેનમાં સવાર લોકોએ ગાર્ડને જાણ કરી ચેન ખેંચી ટ્રેનને રોકી હતી. આ મામલે વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.