વડોદરા : ગઈકાલે સમી સાંજથી શરુ થયેલો વરસાદ મોડી રાત્રે બંધ થતાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.પાણી ભરાવા છતાં પણ ખૈલયાઓ પાણીમાં તેમજ વરસતા વરસાદમાં છત્રી અને રેઈનકોટ પહેરીને ગરબે ગુમ્યા હતા. આજે નવલી નવરાત્રીનો આઠમો દિવસ હોવાથી સવારથી જ માઈભક્તોની ભીડ જાેવા મળી હતી. માંડવી ખાતે અંવેલ અંબામાતાના મંદિરે ભક્તોનું ધોડાપુર જાેવા મળ્યું હતું. વિવિધ સ્થળે આઠમ નિમિત્તે હવન કરવામાં આવ્યું હતું. બહુચરાજી મંદિર ખાતે રાજવી પરિવાર દ્વારા હવન કરવામાં આવતું હોવાથી ભક્તો માટે તે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. નવલી નવરાત્રીનો આઠમો દિવસ. માઈભક્તોમાં આઠમનું અનેરુ મહત્વ જાેવા મળે છે. માઈભક્તો વહેલી સવારથી જ મતાજીની આરાધના કરવાનું શરુ કરી દે છે. મા આદ્ય શક્તિની સાથે કુળદેવીની પણ આરાધના કરવામાં આવે છે. આઠમના દિવસે ખાસ કરીને પાવાગઢ ,અંબાજી સહિતના અન્ય તીર્થસ્થાનોમાં ભક્તોનું ધોડાપુર જાેવા મળે છે. શહેરમાં ધડીયાળી પોળ ખાતે આવેલ સુપ્રસિધ્ધ અંબામાતાના મંદિરે અને માંડવી ખાતે આવેલ મેલડી માતાના મંદિરે ભક્તોેની ભારે ભીડ જાેવા મળી હતી. તે સાથે જ અનેક માઈ મંદિરોમાં હવન વિધી પણ કરવામાં આવી હતી. શહેરના રાજવી પરિવાર દ્વારા પણ બહુચરાજી મંદિર ખાતે હવન વિધી કરવામાં આવતી હોવાથી ભાવીભક્તો માટે મંદિરના દ્વાર બંધ રાખવામાં આવ્યા હતા. સહજ રંગોળી ગ્રુપ દ્વારા માતાજીના વિવિધ સ્વરુપોની રંગોળી દોરવામાં આવી. સહજ રંગોળી ગ્રુપ દ્વારા આઠમના દિવસે માતાજીના વિવિધ સ્વરુપો દર્શાવતી રંગોળી બનાવીને લોકો સમક્ષ પ્રદર્શન માટે મુકવામાં આવ્યું હતું.