અરવલ્લી : ગુજરાતમાં અવિરત મેઘમહેરથી લીલા દુષ્કાળની સ્થિતી સર્જાઈ હોવાથી પશુપાલકોની હાલત કફોડી બની છે. પશુઓ માટે ઘાસચારાની ભારે તંગી સર્જાઈ હોવાથી અને રોગચાળામાં પશુઓના મોત નિપજતા દૂધ ઉત્પાદન પર અસર થતા ખર્ચમાં વધારો થતા પશુપાલકો ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામ્ય વિસ્તારોની આર્થિક જીવાદારો તૂટી જતી બચાવવા રાજ્ય સરકારે પશુપાલકોને લીટર દીઠ ૫ રૂપિયા સબસીડી આપવામાં આવેની માંગ સાથે ગુજરાત કિસાન સભા અરવલ્લી જિલ્લાના હોદેદ્દારોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી હતી.ગુજરાત કિસાન સભા- અરવલ્લી જીલ્લાના હોદ્દેદારોએ મહામંત્રી સીઆઈટીયુ ડી.આર.જાદવની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીને ઉલ્લેખીને લખેલા આવેદનપત્ર જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરને આપી ને રાજ્ય સરકાર પશુપાલન કરતા પશુ પાલકોને લીટર દીઠ રૂ.૫ની સબસીડી આપવામાં આવે તેવી માંગ કરી હતી.