અમદાવા-

હાઈકોર્ટે નોંધ્યું છે કે રાજ્ય સરકાર નવો પરિપત્ર બહાર પાડે અને જ્યાં સુધી નવો પરિપત્ર બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી શિક્ષણ પ્રવૃત્તિ અટકવી ન જોઈએ. એટલે ઓનલાઈન શિક્ષણ પ્રવૃત્તિ જારી રાખવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ ચૂકાદા બાદ હવે શાળા અને સરકાર વચ્ચે બેઠક થઈ શકે છે. જેમાં ફીમાં કેટલાક પ્રમાણમાં ડિસ્કાઉન્ટ પણ આપી શકાય છે તેવું સૂત્રો દ્વારા હાલ જાણવા મળ્યું છે.

વાલીમંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેરહિતની અરજી બાદ શિક્ષણ વિભાગ તરફે ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે હાલ શાળાઓ બંધ છે જ્યાં સુધી ફરીવાર શરૂ ન થાય ત્યાં સુધી ઈતર પ્રવૃતિઓ માટે ફી વસુલી શકશે નહીં. જે વાલીઓએ ફી ભરી દીધી છે એ શાળા શરૂ થશે ત્યારે સરભર કરવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો હતો. જોકે આ ઠરાવને આજે રદ જાહેર કરવામાં આવ્યો છે.લૉકડાઉનના સમયગાળામાં જે વિદ્યાર્થીઓએ વૈક્લિપક સુવિધા/પ્રવૃતિઓનો લાભ લીધો છે એ માટે ફીની જોગવાઈ કરવામાં આવી છે. મતલબ જે શાળાઓ સેવા આપતી નથી. શાળા કોઈપણ પ્રકારની ફી વસૂલી શકશે નહીં. કોરોનાના કપરા સમયને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ખાનગી શાળાઓ ફી વધારો કરી શકશે નહીં. ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા બાળકોને શાળા હાંકી શકશે નહીં.

નોંધનીય છે કે લૉકડાઉનના સમય દરમિયાન પણ કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું તેની સામે ગુજરાત વાલી મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અગાઉ હાઇકોર્ટે રાજ્ય સરકારને વાલીઓ અને શાળાઓ વચ્ચે મધ્યસ્થી બની નિણર્ય લેવાનો આદેશ કર્યો હતો. જોકે વાલીઓને બોજો ન થાય તેવો નિણર્ય લેવાની તાકીદ પણ કરી હતી. હાઈકોર્ટે 30મી જૂન સુધી વાલી ફી ન ભરે તો વિદ્યાર્થીનું એડમિશન રદ ન કરવાનો આદેશ કર્યો હતો. 

વાલીઓ વતી હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં માગ કરવામાં આવી છે કે કોરોના લૉકડાઉનને લીધે ધંધોવેપાર બંધ હોવાથી એપ્રિલ અને મે મહિનાના ઓનલાઈન અભ્યાસની ફી ખાનગી શાળાઓ દ્વારા માફ કરવામાં આવે અથવા આ બે મહિનાની માત્ર સ્કૂલ ફી જ વસૂલવામાં આવે. 

વાલીઓ દ્વારા માગ કરવામાં આવી છે કે ખાનગી શાળા ફી માફ કરે અથવા તો ફીસમાંથી ટ્યુશન ફી, લાઈબ્રેરી ફી, સ્ટેશનરી ફી સહિતની ફીસ માફ કરવામાં આવે, કારણે કે કોરોના લૉકડાઉન દરમિયાન ઓનલાઈન અભ્યાસમાં બાળકોએ સ્કૂલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે લેબ, કોમ્પ્યુટર સહિતનો ઉપયોગ કર્યો નથી. વાલી માત્ર સ્કૂલ ફી ચૂકવવા તૈયાર થયાં છે. નોંધનીય છે કે કોરોના મહામારી વચ્ચે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમાએ 30મી ઓગસ્ટ બાદ શાળાકોલેજ શરૂ કરવાનો નિણર્ય લેશે.