કોલકત્તા-

પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષે કાર્યકર્તાઓને સંબોધિત કરીને મુખ્યમંત્રી મમતા બેનર્જીના સમર્થકોને ખુલ્લેઆમ હાડકાં-પાંસળા તોડવાની ધમકી આપી છે. એક કાર્યક્રમ દરમિયાન દિલીપ ઘોષે કહ્યું, 'હું ઉત્પાત મચાવનનાર મમતા દીદીના લોકોને કહેવા માંગુ છુ કે તેમની પાસે છ મહિનાનો સમય છે, ખુદને સુધારી લે. નહિતર તેમના હાથ, માથુ અને પાંસળીઓ તોડી નાખવામાં આવશે. તમારે લોકોએ ઘરે જતા પહેલા હોસ્પિટલ જવુ પડશે.'

દિલીપ ઘોષે માત્ર આટલુ જ નથી કહ્ય્š પરંતુ તેમણે આગળ પણ કહ્યું, 'તેમછતાં આ લોકોએ જાે વધુ ઉત્પાત મચાવ્યો તો તેમને સ્મશાન ગૃહમાં મોકલી દેવામાં આવશે.' દિલીપ ઘોષે આ નિવેદન રવિવારે હલ્દિયામાં એક જનસભાને સંબોધિત કરીને આપ્યુ હતુ. આ નિવેદનનો વીડિયો ટિ્‌વટર પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આખા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી 'દીદી'ના નામથી ઓળખાય છે.

દિલીપ ઘોષે કહ્યું આવતી વિધાનસભા ચૂંટણીમાં દીદીની પોલિસ બેસી રહેશે અને દાદાની પોલિસ પોતાનુ કામ કરશે. રાજ્ય પોલિસને બુથથી 100 મીટરના અંતરે એક વૃક્ષ નીચે બેસાડી દેવામાં આવશે અને ત્યાં બેસીને માત્ર મતદાન જાેશે. દિલીપ ઘોષનુ આ નિવેદન એવા સમયમાં આવ્યુ જ્યારે અમિત શાહ બે દિવસ પહેલા 5 અને 6 તારીખે પશ્ચિમ બંગાળના પ્રવાસે આવ્યા હતા.