રાનકુવા, તા.૧૪ 

નવસારી જિલ્લામાં પણ કોરોના વાયરસ સંક્રમીતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્‌ના છે. ગઈકાલે ડીવાયઍસપી અને તેની પત્ની સહિત સાત દર્દીઓ સપાટી પર આવ્યા બાદ આજે સવારે વધુ છ કેસ પોઝિટિવ આવ્યા છે.

વિજલપોરના અલકાપુરી વિસ્તારના ૩૯ વર્ષીય પુરુષ, જલાલપોર નવસારી રોડ ઉમીયા કુર્પા ખાતે રહેતા ૪૦ વર્ષીય પુરુષ,, કબીલપોર વસંત વિહારમાં ૫૪ વર્ષીય મહિલા, ગણદેવી કલમથા ખાતે રહેતા ૪૩ વર્ષીય પુરુષ, ખેરગામ નોદ્વધાઈ સુથાર ફળિયામાં રહેતા ૬૫ વર્ષીય મહિલા અને જલાલપોર રામદેવરા સોસાયટીમાં રહેતી ૭૫ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીનેમ ૨૯૧ થઈ છે. જયારે ૧૩૯ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે તથા આજરોજ નવસારી જલાલપુર ના ૫૦ વર્ષીય વૃદ્‌ધનું અને કમલયાડૅ નવસારીમાં રહેતા ૫૮ વર્ષીય મહિલાનું યશફીન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી અત્યાર સુધીમાં નવસારી જિલ્લામાં કોરોનામાં ૧૪ દર્દીઓના મોત નીજ્યું હતું.