ન્યૂ દિલ્હી

ઉત્તર પ્રદેશના આઝમગઢ અને આંબેડકરનગર જિલ્લાના સરહદી ગામોમાં ઝેરી દારૂ પીવાને કારણે ૨૨ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ઘણાની હાલત ગંભીર છે. બંને જિલ્લાના દળ સ્થળ પર ઉભા હતા. આ કેસમાં બે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હકીકતમાં આઝમગઢના પોવાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના મિતુપુર માર્કેટમાં સોમવારે સાંજે દારૂ પીધા બાદ બે ડઝન લોકો બીમાર પડ્યા હતા. તેમને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સોમવારે રાત્રે અઢી વાગ્યાથી મંગળવાર સુધીમાં ૧૮ લોકોનાં મોતનાં સમાચાર મળવા લાગ્યા હતા.

બીજી તરફ ઝેરી દારૂના મોતથી સરહદ આંબેકકરનગર જિલ્લાના જેતપુર, માલિપુર અને કટકા પોલીસ મથકોના ગામોમાં પહોંચી હતી. જ્યાં સોમવારની રાતથી મંગળવાર સુધીમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. જાેકે ગામ લોકો આના કરતાં વધુ મોતની વાત કહી રહ્યા છે, પરંતુ વહીવટીતંત્ર તેનો ઇનકાર કરી રહ્યું છે. આ ઝેરી દારૂ મીટુપુર માર્કેટથી આંબેડકરનગર ગયો હતો. દારૂના મોતની જાણ થતાં બંને જિલ્લાના એસપી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આઝમગઢ પોલીસે ગુડ્ડુ પુત્ર મોતી અને મોતીલાલ પુત્ર રામદેવની અટકાયતમાં પુછપરછ હાથ ધરી છે. બંને વિસ્તારના જુના ગેરકાયદેસર દારૂના વેપારીઓ છે.