વાવ-
વાવ તાલુકાની દેવપુરા મુખ્ય કેનાલમાં રવિવારે સાંજના સમયે પિતાએ અગમ્ય કારણોસર પહેલા પોતાના નાના માસૂમ ફુલ જેવા પુત્રને કેનાલમાં નાખી પોતે પણ કેનાલમાં પડી આપઘાત કર્યો હતો. ઘટનાને પગલે આજુબાજુથી લોકો દોડી આવી કેનાલમાં શોધખોળ કરી હતી. ત્યારે બીજા દિવસે થરાદ નગરપાલિકાના તરવૈયા સુલ્તાનભાઈ દ્વારા સોમવારે સવારે પિતાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જાેકે સાંજ સુધી પુત્રનો મૃતદેહ મળી આવ્યો ન હતો.
લાલપુરા ગામના કલ્પેશભાઈ કરશનભાઇ ઠાકોર (ઉં.વ.આશરે ૩૦) પોતાની પત્ની પુત્ર સાથે દેવપુરા ગામે કેનાલ નજીક આવેલ ચેહરાભાઈ ચૌધરીના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતો હતો. ત્યારે રવિવારે સાંજના પાંચેક વાગ્યાના સમયે ખેતર નજીકથી પસાર થતી દેવપુરા મુખ્ય કેનાલમાં અગમ્ય કારણોસર પહેલા પોતાના આશરે ત્રણ વર્ષના પુત્રને કેનાલમાં નાખી પોતે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. કેનાલમાં ઝંપલાવતા કેનાલના પુલ પાસે પસાર થતા રાહદારી જાેઈ જતા આજુબાજુના લોકોને જાણ કરતાં લોકો ઘટના સ્થળે દોડી આવી કેનાલમાં શોધખોળ કરી હતી. જાેકે રાત થઈ ગઈ હોઇ સોમવારે સવારે ફરી થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાનભાઈને લાવી શોધખોળ આદરી હતી. ત્યારે ૧૫ કલાક બાદ કલ્પેશભાઈ કરશનભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments