ભરૂચ, જીઆઇડીસીમાં હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ ઉજાગર કરનાર પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસીયાએ તેમના પર હિંસક હુમલાની શક્યતા વ્યક્ત કરતા ચકચાર મચી જવા પામી છે.વાગરા પંથકમાં જીઆઈડીસીએ કરેલ જમીન સંપાદનની પ્રક્રિયામાં કથિત કૌભાંડ અંગે અવાજ ઉઠાવતા હુમલાનો ડર વ્યક્ત કર્યો છે ભાજપમાંથી ચૂંટણી લડી મંત્રી બનેલા અને ગત વિધાનસભાની ચૂંટણીમાં જંબુસર બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ખુમાનસિંહ વાંસિયાએ પોતાના પર હિંસક હુમલાનો ડર વ્યક્ત કર્યો છે. તાજેતરમાં ખુમાનસિંહ વાસીયાએ સરકાર દ્વારા કરાતી જમીન સંપાદન પ્રક્રિયામાં કથિત કૌભાંડ અંગે અવાજ ઉઠાવ્યો હતો.