નવસારી-

કેન્દ્ર સરકાર દેશમાં અકસ્માતોની સંખ્યા માં ઘટાડો થાય તે માટે અનેક જાગૃતિ અભિયાન ચલાવે છે જેને લઇને લોકોમાં ટ્રાફિક સેન્સ આવે જેથી નિયમોની અમલવારી થઈ શકે. હાઇવે અને રાજ્ય ધોરીમાર્ગો પર થતાં અકસ્માતમાં અનેક લોકોના જાન ગુમાવે છે. ત્યારે બાળકોમાં ટ્રાફિક નિયમોની સમજ આપવામાં આવ્યું હતું.

અકસ્માતમાં ઘટાડો આવે તેને લઈને કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે, ત્યારે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના અભિયાનની નવસારીમાં શરૂઆત થઇ છે. ત્યારે શાળાના બાળકોને સૌ પ્રથમ ટ્રાફિક નિયમોની જાણકારી આપવામાં આવી છે. જે પૈકી નવસારીની ટાટા હાઇસ્કૂલ ખાતે જિલ્લા ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટ અને ટ્રાફિક વિભાગ દ્વારા શાળાના બાળકોને નિયમોની જાણવાની નહીં થાય તો કેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેની સમજ અપાઈ હતી. મોટાભાગના કેસમાં વાલીઓ પોતાના બાળકોને વાહનો ની ચાવી આપીને નિશ્ચિંત બની જતાં હોય છે અને બાળકો વાહન ચલાવવાના ઉત્સાહમાં અકસ્માત નોતરે છે. ત્યારે જાે દરેક શાળામાં ટ્રાફિક નિયમોની જાણકારી અંગે અભિયાન થાય તો બાળકો તેની ગંભીરતા વિશે જાણી શકશે અને જે રીતે અકસ્માતો થાય છે તેમાં ઘટાડો થવો જાેઈએ.