ભરૂચ, તા.૫

લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ જાેડો યાત્રાનો પ્રારંભ થયો હોય તેવું જણાઈ રહ્યું છે. કોંગ્રેસ ઉપરાંત પ્રાદેશિક પક્ષો અને અપક્ષના ધારાસભ્યો ભાજપ તરફ પ્રયાણ કરી રહ્યા છે. ગત સપ્તાહે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવાએ તેમની ટીમ સાથે ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે બેઠક યોજાતા મહેશ વસાવાએ ભાજપમાં જાેડાવાના સ્પષ્ટ સંકેતો આપ્યા હતા. તેના ભાગરૂપે મહેશ વસાવાના ચંદેરિયા સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે ભાજપના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જી.પ્રમુખ ભાજપા પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા, નર્મદા જી.પ્રમુખ ઘનશ્યામ પટેલે મહેશ વસાવા સાથે મુલાકાત કરી હતી. સાથે-સાથે બીટીપી અને ભાજપના કાર્યકરો પણ આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ડેલીગેશનની મહેશ વસાવા સાથેની મીટીંગ બાદ મહેશ વસાવાનો ભાજપમાં જાેડાવાનો તખ્તો તૈયાર કરવાના ભાગરૂપે બેઠક યોજાઈ હોય તેવી ચર્ચા થઈ રહી છે. એક તરફ મહેશ વસાવાના પિતા અને ઝઘડિયાના માજી ધારાસભ્ય છોટુ વસાવાએ એમ જણાવ્યું હતું કે, ‘મહેશ ના સમજ છે એને કોઈએ ચઢાવ્યો હશે બાકી ભાજપ કે કોંગ્રેસમાં જવાથી આદિવાસી સમાજનું ઉત્થાન થવાનું નથી.’ તેવા સંજાેગોમાં મહેશ વસાવા પણ પોતાની ટીમ સાથે ભાજપમાં જાેડાવા એટલા જ મક્કમ જણાઈ રહ્યા છે. આગામી સપ્તાહે એક મોટું સંમેલન બોલાવી મહેશ વસાવા તેના બીટીપીના તમામ કાર્યકરો સાથે ભાજપનો કેસરીયો કેસ ધારણ કરશે તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે.