રાજપીપળા, નર્મદા જિલ્લાના ૧૨૧ ગામોને ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરતા સ્થાનિક આદિવાસીઓમાં વિરોધનો સુર ઉઠ્‌યો છે.ભાજપ સાંસદ મનસુખ વસાવા પણ ઈકો સેન્સિટિવ ઝોન રદ કરવા અથવા હળવો કરવા ઁસ્ મોદીને રજૂઆત કરી હતી.દરમિયાન મનસુખ વસાવાએ રાજીનામુ ધરી દેતા ખળભળાટ મચ્યો હતો.મનસુખ વસાવાના રાજીનામાં બાદ ગાંધીનગર ખાતે ઈકોસેન્સેટીવ ઝોન મુદ્દે કેબીનેટ મંત્રી ગણપત વસાવા, દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, પૂર્વ વનમંત્રી શબ્દશરણ તડવી, નર્મદા જિલ્લા પ્રમુખ ધનશ્યામ પટેલ,ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા તથા વન અને પર્યાવરણ અધિકારીઓની ઉપસ્થિતમાં એક બેઠક મળી હતી.એ બેઠકમાં ચર્ચાઓ બાદ ઈકોસેન્સેટીવ ઝોનમા આવતા ગામના ખેડૂતોના ૭,૧૨ ઉતારા અને નમૂના ૬ માં જે કાચી એન્ટ્રીઓ પડાઈ છે તેને રદ કરવાનો ર્નિણય કરાયો છે અને ભવિષ્યમાં આવી કોઈ એન્ટ્રી નહી પાડવામાં આવે એવી ખાત્રી આપી છે.એ બેઠકમાં હાજર ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવાએ જણાવ્યું હતું કે શૂલપાણેશ્વર અભયારણ્ય વિસ્તારમાં આવતા નર્મદાના ૧૨૧ ગામોનો ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.અભયારણ્યમાં ૬૨ ગામો જ્યારે ઈકો સિસ્ટમ જાળવવા ૦ થી ૭ કિમિ વિસ્તારના બીજા ગામો ઉમેરાયા છે.મોતીભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે એટલે ઈકો સેન્સિટિવ ઝોનને વધુ સેન્સિટિવ બનાવવા વિપક્ષ આદીવાસી સમાજમાં ગેરસમજ ઉભી કરે છે.આ બાબતે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.ઈકો સેન્સિટિવ ઝોન વિસ્તારના કેટલાક ગામોના ખેડૂતોના ૭,૧૨ ઉતારા અને નમૂના નંબર ૬ માં ઈકો સેન્સિટિવ ઝોનની પ્રોહીબીટેડ એન્ટ્રીઓ પાડવા માટે વહીવટીતંત્રએ પ્રયત્ન કર્યો એટલે આ વિવાદ પેદા થયો હતો.ઈકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં આવી એન્ટ્રીઓ પાડવાની કોઈ જાેગવાઈ છે જ નહીં. 

નર્મદાના જે પણ ગામોમાં આવી એન્ટ્રીઓ પાડવામાં આવી હશે એ એન્ટ્રીઓ રદ કરવા ગાંધીનગર ખાતેની બેઠકમાં ર્નિણય કરાયો છે.હવે ફોરેસ્ટ વિભાગ નર્મદા કલેકટરને સૂચના આપશે એ બાદ એન્ટ્રી રદ કરવાની કાર્યવાહી ચાલુ થશે.એક વ્યવસ્થિત ડ્રાફટ તૈયાર કરી ૧૨૧ ગામોમાં આવી એન્ટ્રીઓ ફરી ન પડે લોકોને હેરાનગતી ન થાય એ માટે પણ તંત્રને સૂચના અપાશે.