ર્જીંેંના ના.કલેકટર નિલેશ દુબેની આદિવાસીઓ વિરુદ્ધ ટિપ્પણીથી રોષ

રાજપીપળા,તા.૩૧

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિલેશ દુબેનો સી.આઈ.એસ.એફ ના અધિકારી સાથે આદિવાસી વિરુદ્ધ ટિપ્પણી કરતો ઓડિયો વાયરલ થતા આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે.કોંગ્રેસે નિલેશ દુબેનું પૂતળા દહન જ્યારે ભાજપે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.તો બીજી બાજુ કેવડિયા બચાવો આંદોલન સમિતિએ કેવડિયા બંધનું એલાન આપ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાની આગેવાનીમાં કોંગ્રેસ અને યુવક કોંગ્રેસના કાર્યકરોએ રાજપીપળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિલેશ દુબેના પૂતળાનું દહન કર્યું હતું.હરેશ વસાવાએ જણાવ્યું હતું કે નિલેશ દુબેએ આખા આદિવાસી સમાજનું અપમાન કર્યું છે, તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કામ કરતા આદિવાસી સમાજના કર્મચારીઓને પણ હેરાન કરે છે.સરકાર નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધે અને નિલેશ દુબે આદિવાસી સમાજની જાહેરમાં માફી માંગે, સરકાર દુબેને જેલમાં ધકેલો એવી અમારી માંગ છે.જાે સરકાર નિલેશ દુબે વિરુદ્ધ કાર્યવાહી નહિ કરે તો અમે સમજીશું કે નિલેશ દુબે આદિવાસી વિરુદ્ધ સરકારની જ ભાષા બોલે છે.જાે કડક કાર્યવાહી નહિ થાય તો આખા ગુજરાતમાં અમે જલદ આંદોલન કરીશું.

તો બીજી બાજુ નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશ તડવી, ગરુડેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ શ્રવણ તડવી, કિસાન મોરચાના મંત્રી પરેશ તડવી સહિતના ભાજપ આગેવાનોએ કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આદિવાસી વિરોધી નીલેશ દુબેના ઓડિયોથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે.દુબે વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી જાે ફરજ પરથી બરતરફ કરવામાં નહિ આવે તો આદિવાસી સમાજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરશે.

રાજીવ ગુપ્તાના ઈશારે ચાલનારા અનેક અધિકારીઓ છે, ગુપ્તા તો પ્યાદુ છે ઃ મનસુખ વસાવા

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ ઘટના બાદ એસ.ઓ.યુ સત્તા મંડળ ચેરમેન રાજીવ ગુપ્તા વિરુદ્ધ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.જણાવ્યું હતું કે રાજીવ ગુપ્તાના ઈશારે ચાલવા વાળા ઘણા અધિકારીઓ છે, દુબે તો એક પ્યાદુ છે.ભેગા મળીને આપણે રાજીવ ગુપ્તાના કૌભાંડ ખુલ્લા પાડવા જાેઈએ અને સ્થાનિક વિરોધી માનસિકતા છતી કરવી જાેઈએ.રાજીવ ગુપ્તા સામે લડાઈ લડવી પડશે.એમણે કેટલા બધા અધિકારો સમાપ્ત કરી નાખ્યા છે, સ્થાનિકોને રંજડયા છે.

ઓડિયો કલીપ એડિટ કરી વાયરલ કરી ઃ નિલેશ દુબે

નિલેશ દુબેએ જણાવ્યું હતું કે અધુરો ઓડિયો એડિટ કરીને ચલાવાઈ રહ્યો છે, જે અર્ધસત્ય પ્રગટ કરે છે, પૂરેપૂરો ઓડીયો બહાર આવે તો સત્યતા સામે આવે.મારી ભાવના કોઈ એક જાતિ માટે ન્હોતી કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છું.કેટલાક વિધ્નસંતોષીઓ સમાજને ગેરમાર્ગે દોરવા એડિટ કરેલ ઓડિયો વાયરલ કરી રહ્યાં છે.