નવી દિલ્હી, તા.૧૯ 

સૌરાષ્ટ્રની ટીમને રણજી ટ્રોફી ચેમ્પિયન બનાવનારા ક્રિકેટર શેલ્ડન જેક્સને તાજેતરમાં જ તેની મૂળ ટીમમાંથી વિદાય લઈ લીધી છે અને આગામી સિઝનથી તે પોંડીચેરીની ટીમ માટે રમવાનો છે. આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન અને બીસીસીઆઈના ભૂતપૂર્વ સેક્રેટરી નિરંજન શાહે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ મામલે બીસીસીઆઈએ દરમિયાનગીરી કરવી જાેઇએ તેવી વિનંતી પણ કરી હતી.

નિરંજન શાહે જણાવ્યું હતું કે હોમ સ્ટેટની ટીમો માટે આ ચિંતાજનક બાબત છે કેમ કે લાંબા ગાળે ખેલાડીઓ અન્ય રાજ્યની ટીમ સાથે વાટાઘાટો શરૂ કરી દેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે બીસીસીઆઈએ આ માટે એક સિસ્ટમ અમલી કરવી જાેઇએ જેનાથી ગેસ્ટ પ્લેયર એક ચોક્કસ રકમથી વધારે કમાઈ શકે નહીં.આમ થશે તો ગઈ સિઝનમાં રણજી ટ્રોફીમાં ઉમેરવામાં આવેલી નવી નવ ટીમો ખેલાડીઓને ખરીદવાનો પ્રયાસ કરશે. જેક્સને જણાવ્યું હતું કે મારા માટે આ કપરો નિર્ણય હતો પરંતુ મને લાગ્યું કે પ્રોફેશનલ ખેલાડી તરીકે અન્ય ટીમ સાથે જાેડાવાનો આ યોગ્ય સમય છે. જેક્સન ૨૦૧૧માં સૌરાષ્ટ્ર માટે રમ્યો હતો.