ભરૂચ, રાણીપુરા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે ૧૦૦ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. જે વિદ્યાર્થીનીઓના માતા પિતાના અવસાનના કારણે અથવા આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અભ્યાસ અટકી પડ્યો હોય તેવી ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લાની વિદ્યાર્થીઓને અહીં રાખી અભ્યાસ શરૂ કરાવાય છે. કેન્દ્ર સરકાર દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓની તમામ સુવિધા નિશુલ્ક આપવામાં આવે છે. આ વિદ્યાલયમાં રહી અભ્યાસ કરતી રીંકલબેન દલસુખભાઈ વસાવાએ ગત વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઉચ્ચ ટકાવારી સાથે પાસ કરી હતી.તેણીએ નીટની પરીક્ષા પણ પાસ કરી છે.