નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા સંગ્રામમાં મહાન યોગદાન આપનારા વિનાયક દામોદર સાવરકરની જન્મ જયંતી પર વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે આઝાદીની લડાઈના મહાન સેનાની અને પ્રખર રાષ્ટ્રભક્ત વીર સાવરકરને તેમની જયંતી પર કોટિ કોટિ નમન. પ્રકાશ જાવડેકરે પણ સાવરકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું કે મહાન સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા અને લેખક વીર સાવરકરને તેમની જયંતી પર કોટિ કોટિ નમન. તેમનું આખું જીવન સ્વરાજ્યની પ્રાપ્તિ માટેના સંધર્ષમાં જ વીત્યું હતું.
સ્વતંત્રતા સંગ્રામમાં સ્વતંત્રતા સેનાની વીર સાવરકર મુખ્ય આધારસ્તંભ હતાં. ભારતની અખંડિતતા અને સંસ્કૃતિના પ્રખર સમર્થક અને જ્ઞાતિવાદના પ્રબળ વિરોધી સાવરકરજીએ લોકોને તેમના અનંત સંઘર્ષ, ઉત્સાહપૂર્ણ ભાષણ અને ચિરકાલીન વિચારો સાથે સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવા પ્રેરણા આપી હતી. તેમનો સંકલ્પ અને હિંમત આશ્ચર્યજનક હતી.વીર સાવરકરનો જન્મ 28 મે 1883ના રોજ નાસિકના ભગૂર ગામમાં થયો હતો. 1937માં તેઓ હિન્દુ મહાસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતાં. તેમને વીર સાવરકરના નામે પણ જાણીતા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments