ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠક બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ વાલીની લેખિત પરવાનગી સાથે શાળાએ માર્ગદર્શન લેવા જઈ શકે તેવી કેન્દ્ર સરકારે આપેલી છૂટનો અમલ ગુજરાતમાં થશે નહીં.

એટલે કે 21 સપ્ટેમ્બરથી રાજ્યના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ શાળાએ વાલીની પરવાનગી સાથે પણ જઈ શકશે નહીં. હાલ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે આપેલી છૂટનો અમલ ન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ અને આ દિશામાં નિર્ણય લેવાશે તેમ પણ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.