સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એક ડાયમંડ કંપની દ્વારા અંદાજે 100 જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે. આ તમામ રત્ન કલાકારો સુરત ડાયમંડ વર્કર યુનિયનની ઓફિસે પોહચ્યા હતા. મળતી માહિતી મુજબ સુરત ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રત્ન કલાકારોને નોકરીએ પરત લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
સરકારના આદેશ મુજબ લોકડાઉન દરમિયાન બંધ રહેલા હીરા કારખાના માલિકો દ્વારા રત્ન કલાકારોને પગાર ચૂકવવામાં આવે. આ સાથે જ હક્ક રજાનો પણ લાભ આપવામાં આવે. આમ છતાં 100 જેટલા કામદારોને ફરજ પરથી છૂટા કરવામાં આવ્યા હતા.
લોકડાઉન બાદ કેટલીક ડાયમંડ કંપનીઓ દ્વારા રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે. કતારગામની એક કંપનીએ અઠવાડિયા અગાઉ 100 જેટલા કર્મચારીઓને છૂટા કરી દીધા છે.કલેક્ટરને આવેદન આપતાની સાથે જ, કંપની યુનિયન સાથે વાટા-ઘાટો કરવા આવી છે. જે અંતર્ગત આગામી દિવસોમાં કંપની મધ્યસ્થી બેઠક બોલાવશે. આ બેઠકમાં છૂટા કરાયેલા રત્ન કલાકારોને પરત લેવામાં આવશે તેવી હૈયા ઘારણા આપવમાં આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments