સુરત-

મહાનગર પાલિકાના સફાઈ કામદાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ગવલેશ ભગત નામના સફાઈ કામદારને ચપ્પુ સહિતના હથિયારો અને લાકડાના ૩૫થી ૪૦ ઘા મારીને અધમૂવો કરી દેવામાં આવ્યો છે. જેથી તેને સારવાર માટે રિંગરોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર હુમલા મુદ્દે તપાસ હાથ ધરી છે. જાે કે, પ્રાથમિક રીતે અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ચપ્પુના ઘા ઝીંકતા શખ્સો મોબાઈલમાં કેદ થયા હતાં.

પાંડેસરા વિસ્તારમાં રહેતા અને સફાઈ કામદાર તરીકે કામ કરતાં ગવલેશ ભગત પર અજાણ્યા શખ્સોએ હથિયારો અને લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. સફાઈ કામદારના શરીર પરથી ૩૫થી ૪૦ જેટલા ઘા મળી આવ્યાં છે. ગંભીર સ્થિતિમાં હાલ રિંગરોડ પર આવેલી નિર્મલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જ્યાં તબીબોએ તેની સારવાર શરૂ કરી છે. જાે કે ઘટનાની જાણ થતાં જ સફાઈ કામદારો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ બહાર એકઠા થયા છે. હાલ સમગ્ર હુમલા મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.