દિલ્હી-

કંપની સેક્રેટરીની પરીક્ષા આ વર્ષે જૂન માસમાં યોજાનાર હતી ત્યારે કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને આઇસીએસઆઈ દ્વારા હાલ આ પરીક્ષા મુલતવી રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. સાથોસાથ સીએસ એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ એક્ઝામ ટેસ્ટ કે જે 8 મેંના રોજ યોજાનાર હતી તેને પણ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દેશભરમાં જ્યારે પરિસ્થિતિ સુધરતી જણાશે ત્યારબાદ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. આઇસીએસઆઈ દ્વારા સતાવાર રીતે કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે એક મહિના પૂર્વે જ પરીક્ષાની તારીખથી વેબસાઈટ મારફત માહિતગાર કરી દેવામાં આવશે.

આઇસીએસઆઈ સીએસ જૂન 2021 ની સત્ર પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા(આઈસીએસઆઈ)એ જૂન 2021માં યોજાનારી ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ અભ્યાસક્રમોની પરીક્ષા મુલતવી રાખવાની ઘોષણા કરી છે. મંગળવાર, 4 મે 2021 ના સંસ્થા દ્વારા જારી કરવામાં આવેલી સૂચના મુજબ ધ ફાઉન્ડેશન પ્રોગ્રામ, એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ, 1 જૂનથી 10 જૂન 2021 દરમિયાન યોજાશે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.