હાલોલ, શ્રી રામ જન્મભૂમિ ખાતે મંદિર નિર્માણ નિધિસંગ્રહ અભિયાન અંતર્ગત રવિવારના રોજ બપોરના સમયે હાલોલ તાલુકાના કાર્યાલયનું ઉદ્‌ઘાટન સાંઈ મંગિર પાસે, સ્ટેશન રોડ હાલોલ ખાતે સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતીમાં કરવામાં આવેલ હતું. જેમાં હાલોલ તાલુકા તેમજ શહેરના વિશ્વ હિન્દુ પરિષદ ના હોદ્દેદારો ને સદસ્યો હા જર રહ્યા હતા, તેમજ તાલુકા ને શહેરના વિવિધ હિન્દુ સંગઠનના સભ્યો, રાજકીય આગેવાનો ને સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિસંગ્રહ અભિયાન શરૂ કરવામાં આવેલ હોવાથી, હાલોલ શહેરમાં “સમર્પણ” સાંઈ મંદિર પાસે સ્ટેશન રોડ ખાતે રવિવારે બપોરના સમયે જન સંપર્ક તેમજ જન સહયોગ ના હેતુથી તાલુકા મથકના કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરવામાં આવેલ હતું. જે કાર્યક્રમમાં પ.પૂ. વલ્લભકુલભૂષણ ગોસ્વામી શ્રી પંકજકુમાર મહોદય ની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ હતું. તેમજ કંજરી સ્થિત શ્રી રામજી મંદિરના પ.પૂ. મહંત શ્રી ૧૦૮ રામશરણદાસજી તેમજ કંજરી બાયપાસ ખાતે આવેલ નિષ્ઠા વિધ્યામંદિર ના પ.પૂ. સંત શ્રી સંતપ્રસાદજી સ્વામીજી દ્વારા ઉપસ્થિત રહી આર્શિવચન આપવામાં આવેલ હતું.