મુંબઇ-

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની તબિયત લથડી છે. જેને લઇને તેમને મુંબઇ સારવાર માટે લઇ જવાયા છે.

ભાજપ સાંસદ કાર્યાલય દ્વારા મળતી અનુસાર, સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરને શ્વાસ લેવામાં તકલીફ વધી છે. તેમની તબિયત વધુ ખરાબ થતા હવાઈ માર્ગે પ્લેનથી સારવાર માટે મુંબઈ લઇ જવાયા છે.પ્રજ્ઞાસિંહ ઠાકુરને મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપ સાંસદને શનિવાર બપોરે શ્વાસ લેવામાં તકલીફ થઇ. જ્યારબાદ તેમને સારવાર માટે મુંબઈ લઇ જવાયા.

ગત મહિને જ ભાજપ સાંસદની તબિતય બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગત કેટલાક દિવસોથી તેઓ સતત બેઠક કરી રહ્યા હતા. શનિવારે એટલે કે આ જે પણ તેમણે દિશા સમિતીની જિલ્લા પંચાયત કાર્યાલયમાં રાખેલી બેઠકમાં સામેલ થવાનું હતું. પરંતુ તે પહેલા તેમની તબિયત બગડી ગઇ.