અંક્લેશ્વર, અંકલેશ્વર પાસે થી પસાર થતા નેશનલ હાઇવે પર ખરોડ ચોકડી પર મશીનરી ભરેલ ટ્રેલર અને નવસારી થી અંબાજી જતી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બસ ચાલક સહિત ત્રણ મુસાફરોને નજીવી ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત માં બસ રોડની બાજુમાં આવેલ ચાની લારીમાં ઘૂસી ગઈ હતી. જાે કે કોઈ જાનહાની થવા પામી ન હતી.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ નવસારી થી અંબાજી જતી બસ નેશનલ હાઇવે નંબર ૪૮ પરથી પસાર થઇ રહી હતી. દરમ્યાન અંકલેશ્વર ની ખરોડ ચોકડી પર મશીનરી ભરેલ ટ્રેલર પાનોલી જીઆઇડીસી માં જવા માટે અચાનક ચોકડી ક્રોસ કરતા ટ્રેલર બસ આગળ આવી જતા અકસ્માત સર્જાયો હતો. અને બસ રોડ ની બાજુ માં આવેલ ચાની લારી માં ઘુસી ગઈ હતી.આ અકસ્માત માં બસ ચાલક યશપાલસિંહ ઝાલા સહિત ૩ જેટલા વ્યક્તિઓ ને નજીવી ઈજા પહોંચી હતી. સર્જાયેલ અકસ્માત માં ટ્રેલર માં ભરેલ મશીનરી પણ રોડ ઉપર પડી જતા નાશભાગ મચી ગઈ હતી,અકસ્માત ના પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માત માં ચાની લારી ને નુકશાન થયુ હતુ. જાે કે મોટી જાનહાની તળી હતી,આ બનાવ ની જાણ તાલુકા પોલીસ ને થતા પોલીસ આવી પહોંચી બન્ને વાહનો ને હટાવીને ટ્રાફિક રાબેતા મુજબ શરુ કર્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments