ખેરાલુ : સતલાસણા તાલુકાના ધરોઈ ગામે બકરાં ચરાવવા ગયેલ બે બાળકો કેનાલમાં ડૂબી જતો મોતને ભેટયા હતા. મળતી માહિતી પ્રમાણે સતલાસણા તાલુકાના ધરોઈ ગામે રહેતાં રબારી મોતીભાઈ અને રબારી ગોવાભાઇ ના બાળકો સાગર ભીખાભાઈ રબારી અને શકકર ભાઇ મોતીભાઈ રબારી બંને બાળકો બકરો ચરાવવા ગયેલ હતા તેઓ કેનાલમાં નાવા પડતો બંને બાળકો પાણીમાં ડૂબી ગયા હતા આસપાસના લોકોને જાણ થતો તુરત તરવૈયાઓ મારફત બાળકોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા બંને બાળકોને સિવિલ સતલાસણા ખાતે લઈ જવામાં આવ્યા હતા બંને બાળકો મૃત્યુ પામેલ હોવાનું સિવિલના તબીબ એ જણાવ્યું હતું ધરોઈ ગામ માં એ બાળકોના મોત થતા શોકનો માહોલ સર્જાયો હતો.