બનાસકાંઠા-
જિલ્લામાં બર્ડ ફલૂ ફેલાય નહીં તે માટે જિલ્લાનાં વહીવટી તંત્ર દ્વારા વિવિધ ટિમો બનાવીને પોલ્ટ્રી ફાર્મો તેમજ પ્રવાસી પક્ષીઓનાં નમૂનાં મેળવવાની પ્રક્રિયાને વધુ વેગવાન બનાવી છે. છેલ્લા થોડાક દિવસોમાં લેવાયેલા નમૂનાઓને તપાસાર્થે અમદાવાદ ખાતે મોકલીને તંત્ર દ્વારા હાલમાં પણ પૂરજોશમાં કામગિરી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં બર્ડ ફલૂ ફેલાય નહીં તે માટે જિલ્લા વહીવટી તંત્રે સક્રિય તપાસ અભિયાન હાથ ધર્યું છે.જિલ્લા પશુપાલન વિભાગે બે દિવસ અગાઉ 150 મરધાઓના સેમ્પલ લઈ તેને અમદાવાદ પરીક્ષણ અર્થે મોકલ્યાં હતા,તો આજે જિલ્લાના જુદા જુદા મરઘા ફાર્મમાંથી 117 સિરમ અને 50 કવોકવોક જાતિના મરઘાંઓ એમ કુલ 167 મરઘાઓના સેમ્પલ લઈ તેમને પરીક્ષણ અર્થે અમદાવાદ લેબમાં મોકલાયા છે. બનાસકાંઠાનાં સુઇગામ ખાતે આવેલ ભારત પાકિસ્તાનની સરહદ પર શિયાળાની ઋતુમાં હજારો વિદેશી પક્ષીઓ આવતાં હોય છે. તાજેતરમાં જ દેશભરમાં વિદેશથી આવતાં પ્રવાસી પક્ષીઓનાં બર્ડ ફ્લૂને કારણે મોત થયા હોવાથી પશુપાલન વિભાગે આવા પક્ષીઓનો પણ સર્વે કરી તકેદારીના પગલાં ઉઠાવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીને કારણે જ અત્યારસુધી બનાસકાંઠામાં એક પણ બર્ડફ્લૂ નો કેસ નોંધાયો નથી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments