વડોદરા,તા.૩૦
વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા કોરોનાની મહામારીને લઈને લાંબા સમયથી શુક્રવારી બજારને બંધ કરી દેવામાં આવ્યું હતું. માર્ચ માસમાં લોકડાઉનથી લઈને બંધ શુક્રવારી બજારને અનલોક થયા પછીથી પણ ત્યાં એકત્ર થતી ભીડને લઈને કોરોનાનું સંક્રમણ ફેલાવવાના ડરને લઈને બંધ રાખવામાં આવ્યું હતું. અનલોક થયા પછીથી સુક્રવારી બજારના વેપારીઓએ આ બજારમાં પાથરણા પાથરીને આપમેળે શુક્રવારી બજાર શરુ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જે તે સમયે પાલિકાના દબાણ શાખાની ટુકડીએ આવા પ્રયાસોને ધરાર નિષ્ફળ બનાવ્યા હતા. આ પછીથી દબાણ શાખા દ્વારા કાયમી રીતે દર શુક્રવારે બજારમાં વહેલી સવારથી બંદોબસ્ત ગોઠવીને પોલીસ સાથે પેટ્રોલિંગ કરીને બજાર ચાલુ કરવા દેવામાં આવ્યું નહોતું. હવે કોરોનાનું સંક્રમણ ઘટતા પાલિકાએ શુક્રવારી બજારને શરુ કરવાને માટે લીલીઝંડી આપી દેતા આજથી એ બજારનો પ્રારંભ કરી દેવાયો છે. પરંતુ એમાં કેટલાક નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments