મહારાજા સ્વ. રણજિતસિંહ ગાયકવાડની સ્મૃતિમાં દરબાર હોલ ખાતે આજથી બે દિવસીય મહારાજા રણજિતસિંહ ગાયકવાડ ફેસ્ટિવલ ઓફ આર્ટસનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક વરસો બાદ દરબાર હોલ ખાતે યોજાયેલા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયક આનંદ ભાટે, તબલાંવાદક ઉસ્તાદ ફઝલ કુરેશી, વાંસળીવાદક રાકેશ ચૌરસિયા, સારંગીવાદક દિલશાન ખાન, પખવાજ કલાકાર નિરંજન મુંડે અને હાર્મોનિયમવાદક નિરંજન લેલેએ ગીત-સંગીતની પ્રસ્તુતિ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.